ધનવાન શેઠ – ગુજરાતી વાર્તા Gujarati Story
એક પળ માં નિખરવાનું,એક પળ માં વીખરવાનું,
આ ફૂલ જે ખીલ્યું,તે ખીલીને તો ખરવાનું,
હોડી ન હલેસાં હો, ન શઢ હો ન સુકાની હો,
દરિયોય જ દેખાતો ને પાર ઉતારવાનું…….. ‘આદિલ’ મન્સૂરી
એક શેઠ પાસે પુષ્કળ ધન હતું પણ મનની શાંતિ નાં હતી એ સતત ચિંતાતુર રહેતા હતા.પોતાની આ સમસ્યા લઈને તેઓ એક સાધુ પાસે ગયા.સાધુ એ કહ્યું,” ઈશ્વર માં મન પરોવો શાંતિ જરૂર મળશે”આમ કહીને સાધુએ શેઠ ને ધ્યાન ની વિધિ સમજાવી.શેઠે એ પ્રમાણે કર્યું પણ શેઠ નું મન ધ્યાનસ્થ ના થઇ શક્યું એમણે ફરી સાધુ પાસે આવીને સમસ્યા કહી,સાધુ કઇજ બોલ્યા નહિ.
શેઠ આશ્રમ માંથી બહાર નીકળી રહ્યા હતા ત્યારે તેમના પગ માં કાંટો વાગ્યો.એ દર્દ થી બુમો પાડવા લાગ્યા.સાધુ બહાર આવ્યા ને શેઠ ને જાતે જ કાંટો કાઢવાનું કહ્યું શેઠે એમ કર્યું તો એમને રાહત થઇ.પછી
સાધુ એ સમજાવ્યું કે,”તમારા પગમાં એક નાનકડો કાંટો વાગ્યો એટલામાં તમે બેચેન થઇ ગયા અને એ નીકળ્યા પછી જ તમને શાંતિ થઇ તો એજ રીતે તમારા મન માં લોભ,ક્રોધ,મોહ,ઈર્ષ્યા જેવા મોટા કાંટાઓ વાગ્યા છે એ નીકળશે નહિ ત્યાં સુધી શાંતિ કઈ રીતે મળશે.??”
આ રીતે શેઠ ને શાંતિ મેળવવાનો સાચો માર્ગ મળી ગયો.
સૌજન્ય :મર્મભરી મટુકી માંથી