ઉપવાસ માટે સ્પેશિયલ ફરાળી ઢોકળા બનાવો – જાણો ફરાળી ઢોકળા બનાવવા ની સરળ રીત
શ્રાવણ મહિનો ચાલે છે, રોજે રોજ કંઇક નવીન ફરાળ હોય તો મોજ જ આવે. ચાલો આજે ફરાળી ઢોકળા ટ્રાય કરીએ. તો ચાલો આજે ફરાળી ઢોકળા બનાવવા માટે તેની રેસીપી આપણી ગુજરાતી ભાષામાં જ જાણી લઇએ..

ફરાળી ઢોકળા બનાવવા માટે જોઈતી સામગ્રી :
- મોરિયો – 200 ગ્રામ
- રાજગરાનો લોટ – 100 ગ્રામ
- શીંગોડાનો લોટ – 100 ગ્રામ
- ફરાળી મીઠુ(જરૂર મુજબ)
- દહી – એક વાડકી
- સોડા એક ચમચી
- તળવા માટે તેલ અને જીરુ
ફરાળી ઢોકળા બનાવવાની રીત :
- મોરિયાને બે કલાક માટે પલાળી દો.
- બે કલાક સરખી રીતે પલરી ગયા બાદ દહીં ફેંટીને રાજગિરો અને શીંગોડાનો લોટ ભેળવી દો.
- અને મોરિયાને વાટીને બધી સામગ્રી મેળવીને મિશ્રણને તૈયાર કરો.
- ત્યાર બાદ તેમા એક ચમચી સોડા અને મીઠુ નાખીને સારી રીતે ફેટો
- કૂકરના ડબ્બામાં ભરીને એક સીટી વગાડી લો.
- સીટી પૂરી થયા બાદ ઠંડુ થાય કે તેના પીસ કરી લો.
- ત્યાર બાદ તેલ ગરમ કરી જીરુ તતડાવો અને ઢોકળા વધારી દો.
- ઉપરથી ધાણા ભભરાવીને ઢોકળા પીરસો.
==> જો પોસ્ટ પસંદ અથવા ઉપયોગી થઇ હોય તો શેર કરવાનું ભૂલતા નઈ.